Dhanera College
આજના યુગમાં મનુષ્ય માટે શિક્ષણ અનિવાર્ય બની ગયું છે. મનુષ્ય પણ એ વાતને સમજીને શિક્ષણ મેળવે છે. પ્રાથમિકથી માંડીને ઉચ્ચશિક્ષણ પાછળ મનુષ્યે દોડ ચલાવી છે. પરંતુ આજનું શિક્ષણ ગુણવત્તા વાળું તથા સંસ્કારી હોવું જોઈએ.ઉચ્ચશિક્ષણ ની વાત કરીએ તો મનુષ્ય ઉચ્ચશિક્ષણ માં દાખલ થયા પછી તેનો થોડોક ટ્રેક બદલાય છે. તેનાંમાં શિક્ષણ રૂપી વૈચારિક ક્રાંતિ જાગે છે. અને શિક્ષણ ની સાથે સાથે રોજગારીની તકો શોધવા માંડે છે. અને તેમની તે સફળતાનો પણ મેળવે છે.
તેથી શિક્ષણ ની સાથે સાથે વિદ્યાર્થીનો બાહ્ય સર્વાંગી વિકાસ થાય તે માટે કોલેજોએ પ્રયત્નો કરવા જોઈએ. અને હાલમાં કરે પણ છે આજે નોકરીઓ માટે સ્પર્ધાઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ દાખલ થઇ છે.. તેમાં વિદ્યાર્થીનું પ્રાથમિક થી માંડીને કોલેજ સુધીના શિક્ષણ નું મુલ્યાંકન થાય છે. તેથી વિદ્યાર્થીને ઉચ્ચશિક્ષણ મેળવવું ફરજીયાત છે. તો આવો આપને સૌ સાથે મળીને ઉચ્ચશિક્ષણને વધુ સુદઢ બનાવીએ.